સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સરકારની સહાયથી બાગાયતી ખેતી તરફ વળ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સરકારની સહાયથી બાગાયતી ખેતી તરફ વળ્યા

૨૩મી ડિસેમ્બર "કિસાન દિવસ"

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ધોળી ગામના પરીમલભાઇ પટેલે દાડમનું વાવેતર કરીને મેળવે છે આવક

25 વિઘામાં 3450 હજાર દાડમના છોડનું વાવેતર કર્યુ તેમાં પણ બાગાયતી ખાતાની મળી સબસીડી
 
પ્રતિ પ્લાન્ટ દીઠ 20 કિલો ઉત્પાદન મળે છે જેનો ભાવ પ્રતિ કિલો 110 રૂપિયા વેચાણ થાય છે

અન્ય રાજ્ય તેમજ વિદેશમાં પણ મોકલવામાં આવે છે
બીજા ખેડૂતો પણ અન્ય ખેતી તરફ વળે અને રોકડીયા પાકની ખેતી તરફ આગળ આવવા કરી અપીલ

ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મ જયંતીના માનમાં દર વર્ષે ૨૩મી ડિસેમ્બરને "કિસાન દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના તમામ લોકો અન્ન પેદા કરતા જગતના તાત એવા ખેડૂતો પ્રતિ આભાર વ્યક્ત કરે છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. આજે પણ દેશની મોટાભાગની વસ્તી કૃષિ અથવા કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. રાજ્યમાં કૃષિ વિકાસની સાથે-સાથે બાગાયતી વિકાસને પણ વેગ આપવા વર્ષ ૧૯૯૧થી બાગાયતી ખાતાની રચના કરવામાં આવી છે. જેના કારણે રાજ્યમાં બાગાયતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. વર્ષ ૧૯૯૧-૯૨થી અત્યાર સુધી વાવેતર તથા ઉત્પાદન અંદાજિત ચાર ગણું થયું છે. બાગાયતી ખાતા તરફથી અમલી વિવિધ સહાયલક્ષી યોજનાઓ, માર્ગદર્શન તથા તાલીમના કારણે આજે રાજ્યના ખેડૂતોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. આમ સરકારની વિવિધ સહાયના કારણે આજે રાજ્યના ખેડૂતો હવે પરંપરાગત ખેતી કરવાને બદલે બાગાયત ખેતી તરફ વળ્યા છે. જેના કારણે તેમની આવકમાં પણ વધારો થયો છે.સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના ધોળી ગામના ખેડૂતે દાડમની બાગાયતી ખેતીમાં અથાગ મહેનત કરીને સારો એવો નફો મેળવી આજુબાજુના સમગ્ર પંથકના ખેડૂતોનું ધ્યાન ખેંચ્યું છે.
,શરૂઆતમાં બાપદાદાની જેમ પણ હું કપાસ, એરેડા, ઘઉં, જીરું જેવા પરંપરાગત પાકોની ખેતી કરતો હતો. પરંતુ તેમાં ઉપજ ઓછી અને ખર્ચ વધુ હોવાથી નફો કઈ ખાસ થતો નહોતો. પાણીની સગવડ હોવાથી એક ના એક પાક વાવવાના બદલે કંઈક નવીન કરવું એવું વિચારી બધે તપાસ કરતા ખેતીની પદ્ધતિ બદલી બાગાયતી પાકોની ખેતી શરૂ કરવાનું નક્કી કર્યું. આમ બાગાયતી પાકો વિશેની જાણકારી મેળવી અને તેમાં પણ દાડમની ખેતી તરફ વિશેષ આકર્ષણ ઊભું થતા તેનું વાવેતર કરવાનું નક્કી કર્યું હતું. સરકાર દ્વારા બાગાયતી પાકોના વાવેતર માટે સબસીડી અને આર્થિક સહાય વિશેની વિગતવાર જાણકારી બાગાયતી ખાતાના અધિકારીઓ પાસેથી મેળવી તેમના માર્ગદર્શન હેઠળ દાડમનું વાવેતર કર્યું. આજે પરંપરાગત ખેતી કરતા દાડમની ખેતીમાં વળતર પણ વધારે રહે છે.પોતે કરેલા વાવેતર વિશેની માહિતી આપતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી પચીસ વિઘામાં 3450 જેટલાં દાડમના પ્લાન્ટનું વાવેતર કર્યું હતું. જેમાં પહેલા વર્ષે એક પ્લાન્ટ દીઠ દસ કિલો દાડમનું ઉત્પાદન મળ્યું હતી બીજા વર્ષે એક પ્લાન્ટ દીઠ 19 કિલો નું ઉત્પાદન મળ્યું હતું આ વર્ષે એક પ્લાન્ટ દીઠ 20 થી 25 કિલો જેટલું ઉત્પાદન મળશે આ દાડમ દેશના અન્ય રાજ્ય તેમજ વિદેશ પણ મોકલાય છે અને આ વખતે ભાવ પણ એક કિલો ના 111 રૂપિયા મળ્યો છે વધુમાં તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને બાગાયતી ખેતી તરફ વળવા જણાવ્યું હતું. આજે જિલ્લામાં બાગાયત ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે. જિલ્લામાં ફળ પાકોનો વાવેતર વિસ્તાર લગભગ તમામ તાલુકાઓમાં વધી રહ્યો છે. જિલ્લાના ખેડૂતો દાડમની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે. અને દાડમના પાકને પણ જિલ્લાનું હવામાન માફક આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વધુમાં તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરવા સંદેશો પાઠવ્યો હતો.

Post a Comment

વધુ નવું વધુ જૂનું