શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં હોળી-ધુળેટી પર્વ રંગોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

*શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં હોળી-ધુળેટી પર્વ રંગોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી*
 હોળી-ધુળેટીનો તહેવાર આવતો હોવાથી આજે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં રંગોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં હોળી તથા ધુળેટીનું મહત્વ,હોળી- ધુળેટીનો ઇતિહાસ ઈકોફ્રેન્ડલી હોળી,પાણી બચાવો અભિયાન,ભક્ત પ્રહલાદની ભક્તિ,આજે કેવી રીતે હોળી ધુળેટીની ઉજવણી કરવી આ વર્ષે દિવ્યભાસ્કર ન્યુઝના માર્ગદર્શન મુજબ અબીલ,ગુલાલ,ફૂલો દ્વારા હોળી,ધુળેટી પર્વની ઉજવણી કરી પ્રધાનઆચાર્ય શ્રીહસમુખ ગુરુજી તથા સહ પ્રધાનાચાર્ય શ્રીરાજેન્દ્ર ગુરુજી તથા સર્વેદીદી તથા ગુરુજી દ્વારા તહેવાર અનુરૂપ સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પરિવારના વિદ્યાર્થીઓની સમક્ષ વક્તવ્ય રજૂ કર્યા શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિરમાં બાળકો પ્રાકૃતિક રંગો,સાંસ્કૃતિક રંગો,અબીલ,ગુલાલ,કંકુ, ફૂલો લઈને તથા રંગબેરંગી પિચકારીઓ લાવીને હોળી ધુળેટીના પર્વની હર્ષોઉ લ્લાસથી ઉજવણી કરી રંગોત્સવ કાર્યક્રમની શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પરિવાર થાનગઢ દ્વારા રંગોત્સવ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો 

Post a Comment

વધુ નવું વધુ જૂનું